logo

લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ લાખણી:- ગણેશ ચતુર્થી નિમિતે ભારત ભરમાં વ

લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાની સ્થાપના કરાઈ


લાખણી:- ગણેશ ચતુર્થી નિમિતે ભારત ભરમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે લાખણીની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં પણ ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે સામૈયું કરી અને ગણપતિ "બાપ્પા મોરિયા" ના નાદ સાથે વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી. જેમાં ૧૦ દિવસ સુધી દરરોજ બાપ્પાની સવાર સાંજ આરતી અને ઉપાસના બાદ રાત્રે રાસ ગરબાની રમઝટ જામશે જેમાં શ્રદ્ધાળુઓ ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લક્ષ્મી પાર્ક સોસાયટી દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવનો લાભ લેશે

અહેવાલ:- મુકેશ સોની લાખણી

149
25210 views