logo

પ્રેસનોટ *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી, ભારતીય વિચાર મંચ પ્રેરિત "કર્ણાવતી હેરિટેજ વોક" યોજાઈ*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અને ભારતીય વિચાર મંચ પ્રેરિત એક *કર્ણાવતી હેરિટેજ વોક* આજરોજ યોજાઈ ગઈ. આ *કર્ણાવતી હેરિટેજ વોક,* અમદાવાદના કાલુપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ હતી. મંદિરથી પ્રસ્થાન કરી અમદાવાદની પોળોમાં સચવાયેલ ઐતિહાસિક કલાત્મક વારસાને નિહાળતા-નિહાળતા, આ વોક અંતે જામા મસ્જિદ ખાતે પૂરી થયેલ હતી. અંદાજે ત્રણેક કલાક સુધી ચાલેલ આ *કર્ણાવતી હેરિટેજ વોકમાં,* કાલુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરના બાંધકામ વિશેની રોચક માહિતી તેમજ પોળોની અંદરની કલાત્મક નક્કાશીઓ તેમજ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી અને આર્કિટેક્ચરલ ખુબીઓથી સમૃદ્ધ એવી હવેલીઓની ઝાંખી આ *કર્ણાવતી હેરિટેજ વોક* દરમિયાન શ્રોતાઓને થઈ હતી. ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓ તેમજ તેમના કુટુંબીજનો સાથે અંદાજે કુલ ૪૫ લોકોએ સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ *કર્ણાવતી હેરિટેજ વોકમાં* ભાગ લીધો હતો અને કર્ણાવતી શહેરની ઘણી બધી આજ સુધી ન જાણેલી એવી બાબતોથી અવગત થયા હતા.
રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ.

16
326 views