
*જમીનના વળતર મુદ્દે ખેડૂતો રોષે ભરાયા, ગાંધીનગર સુધી રેલીની ચીમક*
થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન કબ્જેના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ છે. સરકાર દ્વારા ૨૦૧૧ની જૂની જંત્રીના ભાવ મુજબ વળતર આપવાની નોટિસો અપાઈ છે. જેમાં ચોરસ મીટર દીઠ માત્ર ૨૦ થી ૫૦ રૂપિયા સુધીના ભાવ દર્શાવાયા છે. આ નોટિસો જોઈ ખેડૂતો હેરાન થઈ ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે, ખેડૂતોની વેદના સાંભળતી નથી.
ખેડૂતોનું કહેવું છે કે હાલના બજાર ભાવ મુજબ ગામમાં ૧ એકર જમીન માટે ૪૫ લાખ રૂપિયા આપ્યા છતાં જમીન મળતી નથી. છતાં સરકાર ૨૦૧૧ના જંત્રીના ભાવો આધારે એવોર્ડ જાહેર કરે છે. ૧૨ વર્ષથી નવી જંત્રી લાગુ કરવામાં આવી નથી. ૨૦૧૨થી ૨૦૨૧ સુધી જંત્રીમાં કોઈ વધારો કરાયો નથી. જમીન કાયમ માટે અધિગ્રહણ કરવામાં આવી છે. છતાં યોગ્ય વળતર મળતું નથી.
ખેડૂતોના મકાન અને બોરવેલ પણ કબ્જામાં આવી ગયા છે. તેમનું વળતર હજુ નક્કી કરાયું નથી. જમીનમાં લગાવેલા ડ્રિપ અને ફુવારા પણ રોડમાં કપાતમાં આવી ગયા છે. તેમનું વળતર પણ હજુ સુધી નક્કી કરાયું નથી. બાજુના વિસ્તારમાં પાઇપલાઇન માટે વપરાશી હક્કથી સંપાદન કરાયું છે. ત્યાં ઊંચું વળતર અપાયું છે. છતાં અહીં ખેડૂતો
અહેવાલ પી જે ચૌધરી