થરાદ પંથક માં ચોમાસા નુ આગમન ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક બાજરી ના પાક માં નુકશાન
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે થરાદ તાલુકા ના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારા વચ્ચે વરસાદ ચાલુ થયો હતો. ભોરોલ સહિત આજુબાજુ વિસ્તાર માં ભારે પવન ફૂંકાતા ખેડૂતો ના ખેતર આવેલા મકાનો ઉપર ના પતરા તેમજ શેડના ઉપર ના પતરા ઉડી ને દૂર સુધી પડ્યા હતા. જેના પગલે ખેડુત ને નુકશાન વેઠવા નો વારો આવ્યો હતો. સાથે સાથે ઉનાળુ વાવેતર માં બાજરી ના પાક ને પણ વ્યાપક પ્રમાણ માં નુકશાન થયુ હતું પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડુલ થવા પામી હતી. સાથે સાથે ખુલ્લામાં મુકેલો અનાજ તેમજ ઘાસ ચારો પણ પલળી જતા જગત ના તાત ને નુકસાન વેઠવા નો વારો આવ્યો છે. થરાદ શહેર માં આકરી ગરમી વચ્ચે જ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો માં "કહી ખુશી કહી ગમ" જેવો માહોલ ખેડુત વર્ગ માં જોવા મળ્યો હતો