logo

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો : નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના

*નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો : નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના*

_સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દર કલાકે ડેમની સપાટીમાં 15 સેમીનો વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા ખોલી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ્યારે નર્મદા ડેમમાં પાણીની આવક 3.27 લાખ ક્યુસેક નોંધાઈ છે. જયારે ૧૫ દરવાજા ખોલાતા સુંદર નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે.

6
27 views