રાજકોટમાં હાઈવોલ્ટેજ ડ્રામાઃ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવા દૃશ્યો, પોલીસને પરસેવો છૂટી ગયો, જાણો ભાજપે શું કામ વિરોધ કર્યો
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ સમિટ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં આજે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.કોંગ્રેસ કાર્યાલય પાસે ઘર્ષણ અને હોબાળો
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે અગાઉથી જ કોંગ્રેસ કાર્યાલયની આસપાસ મજબૂત બેરીકેટીંગ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, ભાજપના કાર્યકરો ત્યાં પહોંચતા જ વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસના કાર્યકરો પણ સામે પક્ષે મેદાને આવ્યા હતા. બંને પક્ષના કાર્યકરો બેરીકેટ્સ પર ચડી ગયા હતા અને એકબીજાની સામસામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.થોડી જ વારમાં મામલો એટલો બિચક્યો કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને સ્થિતિ થાળે પાડવા માટે પોલીસને 'પરસેવો વળી ગયો' હતો.પોલીસ દ્વારા અટકાયત
સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ભાજપના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ બસમાં બેસાડીને સ્થળ પરથી ખસેડ્યા હતા. જોકે, ભાજપના કાર્યકરો ગયા બાદ પણ કોંગ્રેસના કાર્યકરોનો રોષ શાંત પડ્યો નહોતો. કોંગ્રેસના કાર્યકરોએ બેરીકેટ્સ આડા પાડીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી
પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી. અંતે પોલીસે સમજાવટથી કોંગ્રેસના કાર્યકરોને પાછા વાળ્યા હતા.
ઘટનાને પગલે રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દેશની સિદ્ધિ સમાન AI સમિટનું અપમાન કર્યું છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર લોકશાહી ઢબે વિરોધ દબાવવાનો આક્ષેપ કર્યો છે.