logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચાણસ્મા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી: બહુચરાજી યાત્રા સંઘના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવી સુરક્ષામાં વધારો

ચાણસ્મા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી: બહુચરાજી યાત્રા સંઘના વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવી સુરક્ષામાં વધારો

ચાણસ્મા :- ૧.૪.૨૦૨૬,બુધવાર
અહેવાલ: મિહિર પટેલ ચાણસ્મા

ચાણસ્મા હાઇવે ઉપર બહુચરાજી ત્રણ રસ્તા ખાતે ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા જનહિતમાં એક ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. બહુચરાજી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં પગપાળા યાત્રા કરતા યાત્રાળુઓ અને તેમના સાથે જોડાયેલા વાહનોની સલામતીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત યાત્રાળુઓ સાથે ચાલતા વાહનો પર રેડિયમના રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા, જેથી રાત્રિના સમયે આ વાહનો દૂરથી જ સ્પષ્ટ રીતે દેખાઈ શકે અને અકસ્માત જેવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. ખાસ કરીને હાઇવે પર ભારે વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને આ કામગીરી અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારી અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ TRB જવાનો પણ સક્રિય રીતે જોડાયા હતા. તમામ જવાનોએ ખૂબ જ જવાબદારીપૂર્વક અને સેવાભાવથી પોતાની ફરજ બજાવી, જેનાથી યાત્રાળુઓમાં સુરક્ષાનો ભાવ વધ્યો હતો.
ચાણસ્મા ટ્રાફિક પોલીસની આ પહેલ યાત્રાળુઓની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. સ્થાનિક લોકો અને યાત્રાળુઓએ પોલીસ વિભાગની આ કામગીરીને વખાણી હતી અને આ પ્રકારની જનહિતની કામગીરી આગળ પણ ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

16
15 views

Comment